સંપ્રદાયમાં સમય પ્રમાણે અથવા તિથિ અનુસાર સત્સંગ વિચરણ યાત્રા તથા જે તે સ્થળે કીર્તન-આરાધના તથા ફરજિયાત એક કલાકનો સત્સંગ.
વ્યસન મુક્તિ અભિયાન જેવા જીવન ઉત્કર્ષના કાર્યક્રમો.
સત્સંગના વિકાસ માટે ધાર્મિક ત્રિ-માસીક મેગેઝીનનું પ્રકાશન.
સંપ્રદાયમાં જરૂરિયાત તથા અશક્ત હરિભક્તોને આર્થિક-શૈક્ષણિક મદદ.
સત્સંગ શિબિર (બે દિવસનો કાર્યક્રમ જેમાં આબાલ વૃદ્ધ સહિત બહેનો પણ ભાગ લે છે, સતત બે દિવસ દરમિયાન સવારના 6-00 થી રાત્રિના 12-00 વાગ્યા સુધી સંપ્રદાયના વિવિધ સ્થળોથી પધારેલ વિદ્ધાન સંતો દ્વારા ફક્ત સત્સંગનો કાર્યક્રમ).
બહેનો તથા બાળકોના સત્સંગ વિકાસ માટે સત્સંગ શિબિર તથા સત્સંગ સભા.
સંપ્રદાયના દરેક ગામોમાં ફરજિયાતપણે અઠવાડિક સત્સંગ સભાના આયોજનો થાય છે.